Online Shoping site in India

'મહાકાલ લોક'નું PMએ લોકાર્પણ કર્યું:કોરિડોર નિહાળ્યા બાદ મોદીએ કહ્યું, 'એવું કેવી રીતે બને કે મહાકાલ

202211Oct
'મહાકાલ લોક'નું PMએ લોકાર્પણ કર્યું:કોરિડોર નિહાળ્યા બાદ મોદીએ કહ્યું, 'એવું કેવી રીતે બને કે મહાકાલ

મંગળવારે એટલે કે આજે દુનિયા 'મહાકાલ લોક'ની ભવ્યતા જોશે. જય મહાકાલ...! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જ્યારે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના નવા પરિસર 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું, તો ચોતરફ આ જયઘોશની ગૂંજ સંભળાઇ. નાડાછડીથી બનેલા 15 ફૂટ ઊંચા શિવલિંગની પ્રતિકૃતિથી મોદીએ રિમોટથી આવરણ હટાવતાની સાથે જ આધ્યાત્મના આ નવું પરિસર ખુલ્લું મૂકાયું.

'મહાકાલ લોક' પ્રોજેક્ટને 2 ફેઝમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ દ્વારા 2.8 હેક્ટેયરમાં ફેલાયેલા મહાકાલ પરિસર 47 હેક્ટેયર થઇ જશે. જેમાં 946 મીટર લાંબો કૉરિડર છે, જ્યાંથી શ્રદ્ધાળુ ગર્ભગૃહ પહોંચશે.

પ્રધાનમંત્રી અમદાવાદથી વિશેષ વિમાન દ્વારા પહેલા ઈન્દૌર અને ત્યાંથી એરફોર્સના ચૉપરથી ઉજ્જૈન પહોંચ્યા છે. અહીં મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી હતી. ત્યાંથી તેઓ મહાકાલ લોક પહોંચ્યા અને આ પરિસર રાષ્ટ્રને સમર્પિત કર્યું. બાદમાં અહીં એક સભા સંબોધી.

PM મોદીના ભાષણની મુખ્ય વાતો...
કાર્તિક મેળા ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદીએ સભા સંબોધી. હર હર મહાદેવ.... જય શ્રી મહાકાલ... મહાકાલ મહારાજ કી જય, મહાકાલ મહાદેવ, મહાકાલ મહાપ્રભુ, મહાકાલ મહારૂદ્ર, મહાકાલ નમોસ્તુતે...થી પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરી.

મહાકાલ લોકમાં લૌકિક કંઇ નથી, શંકર સાનિધ્યમાં સાધારણ કંઇ પણ નથી, બધુ જ અલૌકિક છે. મહાકાલના આશીર્વાદ જ્યારે મળે છે તો કાળની રેખાઓ ભૂંસાઇ જાય છે.
મહાકાલની નગરી પ્રલયના પ્રહારથી મુક્ત છે. હજારો વર્ષ પહેલા જ્યારે ભારતના ભૌગોલિક સ્વરૂપ આજથી અલગ હશે, ત્યારથી એવું માનવામાં આવી રહ્યું છે કે ઉજ્જૈન ભારતના કેન્દ્રમાં છે. એક રીતે જ્યોતિષ ગણનાઓમાં ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્ર રહ્યું, પરંતુ આ ભારતની આત્માનું પણ કેન્દ્ર રહ્યું છે. આ તે નગર છે, જે આપણી પવિત્ર સાતપુરિયોમાંથી એક ગણવામાં આવે છે. આ તે નગર છે, જ્યાં સ્વયં ભગવના કૃષ્ણએ પણ આવીને શિક્ષા પ્રાપ્ત કરી.
ઉજ્જૈને મહારાજા વિક્રમાદિત્યના પ્રતાપ જોયા છે મહાકાલની આ ધરતીથી વિક્રમ સંવતના રૂપમાં ભારતીય કાલગણનાનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. ઉજ્જૈનના પળ-પળમાં ઇતિહાસ વસેલો છે. કણ-કણમાં આધ્યાત્મ છે. ખૂણે-ખૂણામાં ઇશ્વરીય ઉર્જા વહી રહી છે. અહીં કાળ ચક્ર 84 કલ્પોના પ્રતિનિધિત્સ કરે છે, 84 શિવલિંગ છે. અહીં 4 મહાવીર છે. 6 વિનાયક છે. 8 ભૈરવ છે. આ સૌના કેન્દ્રમાં મહાકાલ બિરાજમાન છે.
જ્યાં મહાકાલ છે, ત્યાં કાળખંડોની સીમાઓ નથી. મહાકાલના શરણમાં વિશ્વમાં પણ સ્પંદન હોય છે. મહાકાલના સાનિધ્યમાં અવસાનથી પણ પૂનર્જીવન થાય છે. અંતથી અનંતની યાત્રા પ્રારંભ થાય છે.

અંતરરાષ્ટ્રીય/International,ભારત/India,View : 3536

    Comments

    • Ninama Ajay 03/02/2023J name boy na Sara name janavo
    • જસવં30/01/2023વ્હબગજવુંવસુબભવર્સફવીસગજવત્સવુંવજવશ સજસગસ્ત્યસ ગશબ. સુ સી સી ઈ હસ ઉસ્વ્સ
    • Ramesh04/01/2023Vhh
    • DINESH BHAI03/01/2023send me some name for my boy
    • Sanjay maruniya24/12/2022Very good
    • Alpesh pateliya19/12/2022સોનલ
    • Love14/12/2022Min
    • કેશા11/12/20221515
    • R11/12/2022પેમી
    • 11/12/2022
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • હે ઈશ્વર, તે બધા જ સંજોગો તેં મારા કલ્યાણ માટે જ સર્જયા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.