ભાદરવા માસની ચતુર્થીએ ગણેશ પૂજન કરવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઊજવાય છે, વાજતે-ગાજતે લોકો ગણેશજીને ઘરે લાવે છે અને દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.
ગણેશજીની જ્યારે ઘરે સ્થાપના કરવામાં આવે છે ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આ નિયમો એવા છે જેનું પાલન ન કરવામાં આવે તો સ્થાપના કરનાર પાપના ભાગીદાર બની જાય છે. જો તમે પણ આ નિયમોથી અજાણ હોય તો જાણી લો આજે. દસ દિવસ ન કરવા આ કામ
– ઘરમાં લસણ-ડુંગળીનો ઉપયોગ ન કરવો.
– ભોજન કરતાં પહેલાં ગણેશજીને ભોગ લગાવવો.
– આ દિવસો દરમિયાન ઘર ખાલી ન રાખવું. એક સભ્યએ ઘરમાં હાજર રહેવું.
– જુગાર ન રમવો.
– નિંદા, ચુગલખોરી ન કરવી.
– મનમાં કોઈ માટે ખરાબ ભાવના ન રાખવી.
– સંભોગ ન કરવો, દસ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું.
– સંયમ રાખવો અને ક્રોધ ન કરવો.
– ખોટું ન બોલવું કે ન કોઈ વાત છુપાવવી.
આ કામ અવશ્ય કરવું સવારે અને સાંજે ગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, સ્તુતિ, આરતીનું પઠન કરવું.
‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો. ભગવાનને મોદકનો ભોગ અવશ્ય ધરાવવો.
source: sandesh