જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત,..
ગુજરાતી અને ગુજરાત ની અસ્મિતા ને ઉજાગર કરવાનો પ્રયાસ,…
ગુજરાતી ને સાંકળતી કડી.
આપનોજ,
ડો. કલ્પિત સંઘવી
ડૉ.મયુરી સંઘવી
જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત,..
ગુજરાતી અને ગુજરાત ની અસ્મિતા ને ઉજાગર કરવાનો પ્રયાસ,…
ગુજરાતી ને સાંકળતી કડી.
આપનોજ,
ડો. કલ્પિત સંઘવી
ડૉ.મયુરી સંઘવી
રેસા એ ખોરાકનો એવો ભાગ છે જેને પાચક રસો પચાવી શકતાં નથી. રેસા શાકભાજી, ફળો, દાળ, અનાજ, કઠોળમાંથી મળે છે. રેસા ખોરાકને સરળતાથી આગળ ધકેલવામાં, પાચનતંત્રને સુદૃઢ રાખવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે
સારી તંદુરસ્તી માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. તેમાં પ્રોટિન્સ, વિટામિન્સ, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ્સ, મીનરલ્સ (ખનિજો) હોવા જરૂરી છે, પરંતુ આ તત્ત્વો ઉપરાંત અન્ય એક મહત્ત્વના ઘટકને આપણે ભૂલી જઈએ છીએ જેનો સમાવેશ થવો પણ જરૂરી છે. આ ઘટક છે રેસા.
રેસા એ ખોરાકનો એવો ભાગ છે જેને પાચક રસો પચાવી શકતાં નથી. રેસા શાકભાજી, ફળો, દાળ, અનાજ, કઠોળમાંથી મળે છે. રેસા ખોરાકને સરળતાથી આગળ ધકેલવામાં, પાચનતંત્રને સુદૃઢ રાખવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.. રેસા પાણી શોષે છે જેથી પાચન બાદ રહેલો કચરો નરમ બને છે. પરિણામે આ કચરો કોઈ પણ પ્રકારના બળપ્રયોગ વિના, પાચનતંત્રને શ્રમ પહોંચાડયા વિના સરળતાથી શરીરની બહાર નીકળી જાય છે. ઘઉંમાં રહેલા રેસા મળની પાણી ટકાવવાની ક્ષમતાને વધારે છે. જેના કારણે મળ-વિસર્જન સારી રીતે થાય છે.
અનાજમાંથી છૂટા પડેલા છોતરાં અને કુશકીમાં પણ પાણીને રોકી રાખવાની સારી ક્ષમતા હોય છે. તે મળના જથ્થાને વિસ્તારે છે અને વિસર્જનની ક્રિયાને સરળ બનાવે છે. અનાજનું ભૂસું આટલું ઉપયોગી હોવા છતાં તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ. તેમાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોવાથી તે સહેલાઈથી પચતું નથી.
રેસાના સેવનથી શરીરનો બધો જ કચરો બહાર નીકળી જાય છે. રેસા ઝેરી પદાર્થો સાથે ચોંટી જાય છે જેથી ઝેરી તત્ત્વો રેસા સાથે શરીરની બહાર ફેંકાઈ જાય છે. ઉપરાંત રેસા પાચનતંત્ર દ્વારા બધા જ મળોને એકઠા કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે. તેથી આખા શરીરનો કચરો સહેલાઈથી બહાર નીકળી જાય છે.
પાંદડાંવાળાં શાકભાજી તેમ જ ફળોમાં રેસાનું પ્રમાણ વધુ હોય છે. શાકભાજી કાચા સ્વરૂપમાં ખવાય તો રેસા સારા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીને રાંધવાથી તેમાંના રેસા નરમ બની જાય છે. કાચા શાકને વધુ ચાવવા પડે છે. તેમાંનાં રેસા લાળ સાથે ભળવાથી તેમનો જથ્થો વધે છે.
વધુ રેસા ધરાવતા શાકભાજીમાં પાલખ વગેરે લીલી ભાજી, કોબી, વટાણા, ભીંડા, કોળું, દૂધી વગેરેનો સમાવેશ થાય છે. બધાં શાકભાજી કાચા ખાઈ શકાય કે કેમ એવો પ્રશ્ન આપણા મનમાં ઊઠી શકે છે. ટામેટાં, કાકડી, ગાજર, લેટ્સની ભાજી, કેપ્સિકમની કચુંબર બનાવીને ખાઈ શકાય છે. બીટરૂટ અને કોળું કાચા ખાઈ શકાય છે. કોળાને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. કેટલાંક શાકને અંશતઃ રાંધીને તેનો ઉપયોગ કરી શકાય છે. કાચા-પાકા રાંધેલા શાકભાજીમાં મસાલો અથવા ગ્રેવી રેડીને તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
કઠોળ અને શક્કરિયાં, બટાકા, બીટ, ગાજર જેવા કંદમૂળમાં રેસાનું પ્રમાણ ઊંચું હોય છે. કેળાં, અંજીર, સ્ટ્રોબેરી, ખારેક, કેરી, પાઈનેપલ, સક્કરટેટી, તરબૂચ વગેરે ફળોમાં ઘણાં રેસા હોય છે. કેળાં, ટેટી-તરબૂચ અને પાઈનેપલમાં સૌથી વધુ રેસા હોય છે. ઘઉં, બાજરી, જુવાર, જવ વગેરે અનાજમાં પણ સારી માત્રામાં રેસા હોય છે. જો કે પ્રોસેસ કરેલા અનાજમાં રેસાનું પ્રમાણ ઘણું ઘટી જાય છે.
ઘઉંના લોટને જ્યારે રિફાઈન (મેંદો) કરવામાં આવે છે ત્યારે અને ચોખાને જ્યારે પોલિશ કરવામાં આવે છે ત્યારે તેમાંથી રેસાનો ભાગ મોટી માત્રામાં નીકળી જાય છે. માંસ, માછલી, ઇંડાં, દૂધ, ચરબી અને ખાંડમાં કોઈ રેસા હોતાં નથી.
પરંપરાગત આહારમાં ઋતુ અને આબોહવા પ્રમાણે આહાર લેવામાં આવતો જેમાં ફળો, શાકભાજી, કકરો લોટ વગેરેનો સમાવેશ થતો. આ આહાર વધુ લાભપ્રદ હતો. જેઓ પોતાની પરંપરાને વળગી રહ્યા છે તેઓ આધુનિક જીવનશૈલીની તુલનાએ વધુ તંદુરસ્ત રહે છે.
રેસાવાળો ખોરાક જો નિયમિતપણે ખાવામાં આવે તો આંતરડાંની, ગુદામાર્ગની સમસ્યાઓથી બચી શકાય છે. તેનાથી આંતરડાંના કેન્સર અને હૃદયરોગનું જોખમ ઘટી જાય છે. રેસા ડાયાબિટીસમાં પણ રાહત આપે છે. રેસાનું સેવન કરવાથી લોહીમાંની શર્કરા ઘટે છે જેથી ઇન્સ્યુલીન ઓછું લેવું પડે છે. ઊંચા રેસાવાળો ખોરાક કેલરીની દૃષ્ટિએ હળવો હોય છે. તેથી વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.
માંસપ્રધાન આહારમાં રેસાની સંપૂર્ણ ગેરહાજરી હોય છે. માંસ ચાવવામાં લાંબો સમય લાગે છે તેથી આ સત્ય સ્વીકારવું અઘરું છે. માંસનો વધુ પડતો ઉપયોગ રક્તવાહિનીઓને જાડી બનાવે છે, જેના કારણે હૃદયરોગ, કિડનીના રોગો અને લકવો થઈ શકે છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી પણ મૂત્રપિંડના કાર્ય બગડે છે.
પુખ્ત વયની વ્યક્તિએ દિવસમાં ૩૫-૪૦ ગ્રામ રેસાની જરૂર પડે છે. રોજના સામાન્ય ખોરાકમાં પ્રત્યેક સો ગ્રામ ખોરાકમાં ૨થી ૨૦ ગ્રામ જેટલાં રેસા હોય છે. દુર્ભાગ્યે, આજના સમયમાં આપણે પ્રોસેસ્ડ-ફૂડ વધુ ખાઈએ છીએ જે રેસાથી વંચિત હોય છે. આ ખોરાક જલદી રંધાઈ જતો હોવાથી અને સ્વાદિષ્ટ હોવાથી લોકો તેને વધુ પસંદ કરે છે.
આજે આપણે મેંદાનો ઉપયોગ પણ વધુ કરીએ છીએ. પીઝા, બિસ્કિટ્સ, કેક, ડો-નટ વગેરે બનાવવામાં મેંદાનો ઉપયોગ થાય છે. આ ખોરાક ખૂબ લોકપ્રિય છે, પરંતુ મેંદામાં રેસા બિલકુલ હોતાં નથી. આથી આપણા પાચનતંત્ર માટે તે ઉપયોગી નથી, પરંતુ આપણે બ્રેડ વગેરેને સફેદ અને નરમ સ્વરૂપમાં પસંદ કરીએ છીએ. પીળી અને ખરબચડી બ્રેડ આપણે પસંદ કરતા નથી તેથી આજે મેંદાનો ઉપયોગ ઘણો વધી ગયો છે.
આપણા ખોરાકમાં ચરબી અને ખાંડનું પ્રમાણ પણ વધુ છે. આવો ખોરાક સ્વાદિષ્ટ લાગવાથી આપણે તેને વધુ પસંદ કરીએ છીએ. આપણે બાળકોને પણ તેની ટેવ પાડીને તેઓની ખાવા-પીવાની રીતને બગાડીએ છીએ. ચરબી અને ખાંડમાં પણ કોઈ રેસા હોતાં નથી. તેથી તેનાથી કબજિયાત અને અન્ય તકલીફો ઊભી થાય છે. સમૃદ્ધ દેશોમાં ગરીબ દેશોની તુલનાએ ચરબી અને ખાંડવાળો આહાર વધુ ખવાતો હોવાથી ત્યાં આ પ્રકારની તકલીફો વધુ જોવા મળે છે.
ઓછા રેસાવાળો ખોરાક ખાવાથી થતી કબજિયાત જેવી સમસ્યાઓ તો ટૂંકા ગાળાની સમસ્યા છે, પરંતુ લાંબાગાળે વધુ ગંભીર પ્રકારની સમસ્યાઓ જેવી કે ઊંચું લોહીનું દબાણ, બ્લડ-કોલસ્ટરોલ, હૃદયરોગની બીમારીઓ વગેરે ઉદ્ભવે છે. આ બધાને પરિણામે હોસ્પિટલો, ફાર્મા. કંપનીઓ, ડોક્ટરો વગેરેને ફાયદો થાય છે, પરંતુ લોકોની પીડાની જાણ જલદી થતી નથી.
બીમારીઓ વધવાને કારણે શારીરિક પીડા ઉપરાંત નાણાંનો ખૂબ વ્યય થાય છે. દેશના સાધનનો આ રીતે વ્યય થવાથી દેશ અને દેશવાસીઓના વિકાસ માટે પૂરતા નાણાં ઉપલબ્ધ થતાં નથી. દેશની પ્રગતિની પ્રક્રિયા ધીમી પડી જાય છે.
રેસાના મહત્ત્વની સમજ આવ્યા બાદ રેસાયુક્ત બનાવટોનો ઉદ્યોગ પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે. આ વિવિધ બનાવટોનો ઉપયોગ કરીને શરીરમાં રેસાની પૂર્તિ કરી શકાય છે. આ બનાવટોને ખોરાકમાં ઉમેરીને, લોટમાં ઉમેરીને અથવા પાણી-પ્રવાહીમાં ઉમેરીને વાપરી શકાય છે. આ વાત હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ આ હકીકત છે. આપણે ખોરાકને રિફાઈન કરીને પછી આવી બનાવટોનું સેવન કરીએ છીએ. તો શું આમ કરવાને બદલે રેસાયુક્ત ખોરાક ખાવો વધુ હિતાવહ નથી ? કુદરતી રેસાની તોલે કૃત્રિમ બનાવટો ક્યારેય આવે નહીં. ઉપરાંત કુદરતી ખોરાક સોંઘો પણ હોય છે.
વોશિંગ્ટન 10, ફેબ્રુઆરી
પોતાની કુશાગ્રતા અને વ્યવસાયિક ચાતુર્યના દમ પર એપ્પલને દુનિયાની અગ્રણી કંપની તરીકે સ્થાપિત કરનાર સ્ટીવ જોબ્સની ઇમાનદારી અને નૈતિકતા પર એક સમયે અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઇએ સવાલો ઉઠાવ્યા હતા.
એફબીઆઇએ સ્ટીવ જોબ્સની ફાઇલ એટલા માટે તૈયાર કરી હતી કારણ કે વર્ષ 1991માં તેઓને રાષ્ટ્રપતિ તરફથી નામાંકિત પદ માટે તેમના નામનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. તે સમયે જ્યોર્જ ડબલ્યુ બુશ સીનિયર અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. સ્ટીવ વિશે એફબીઆઇની આ ફાઇલોમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર કરવા અને માદક પદાર્થોનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. આ દસ્તાવેજોને માહિતી મેળવવાના કાયદા હેઠળ ગુરૂવારે સાર્વજનિક કરવામાં આવ્યા હતા. એફબીઆઇએ આ દસ્તાવેજોને પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કર્યા હતા.
એફબીઆઇના દસ્તાવેજોના સારાંશ અનુસાર, અનેક વ્યક્તિઓએ સ્ટીવ જોબ્સની ઇમાનદારી સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે તેઓ પોતાનું લક્ષ્ય હાસલ કરવા માટે સત્યને ફેરવી તોળે છે અને તેઓ વાસ્તવિકતા સાથે પણ છેડછાડ કરે છે. પોતાના હક્ક નહીં મળવાની ફરિયાદ કરતા જોબ્સના એક પૂર્વ કારોબારી સહયોગી જણાવે છે કે જોબ્સ એક ઇમાનદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ હતા પરંતુ તેઓનું ચારિત્ર શંકાના ઘેરાવામાં છે. અન્ય લોકોના જણાવ્યા અનુસાર જોબ્સ સાથે કામ કરવું મુશ્કેલ હતું.
એવામાં કોઇ આશ્ચર્યની વાત નથી, કારણ કે ગત વર્ષે આવેલી તેમની બાયોગ્રાફીમાં પણ જોબ્સના અસ્થિર સ્વભાવ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રકારની ટિપ્પણીઓના કારણે જોબ્સને રાષ્ટ્રપતિને નિર્યાત નીતિ પર સલાહ આપનાર સમિતિએ એક એવૈતનિક પદની નિયુક્તિ માટે પસંદ કરવામાં આવ્યા નહતા. સ્ટીવ જોબ્સની ગત વર્ષ ઓક્ટોબરમાં પેન્ક્રિયાટીક કેન્સરના કારણે મોત નિપજ્યું છે.
એફબીઆઇએ એ લોકોના નામ નથી જણાવ્યા જેઓએ જોબ્સ વિશે માહિતી મેળવી હતી. જોબ્સે સ્વીકાર કર્યો હતો કે તેણે 1970ના દશકમાં એલએસડી સહિત કેટલાંક માદક પદાર્થોનું સેવન કર્યું હતું. એફબીઆઇએ જે લોકો સાથે વાત કરી હતી તેમાંથી એક વ્યક્તિએ સિલિકોન વેલીમાં જોબ્સની પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જોબ્સ ખરેખર એન્જીનીયર નહતા. તેઓ ટેક્નીકલ જગત સાથે જોડાયેલા લોકોના સમુદાયમાં નવીનતાની ઉર્જાથી ભરેલા એક વ્યક્તિ હતા.
બેલગ્રેડ, તા.૧૦
યૂરોપમાં તીવ્ર ઠંડી અને હિમવર્ષાને કારણે છેલ્લાં ૧૦ દિવસથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તીવ્ર ઠંડીને કારણે મૃતકોની સંખ્યા વધીને ૪૬૦ ઉપર પહોંચી ગઈ છે. યુરોપમાં ઠંડીના કારણે કુલ ૧૦ દેશોમાંથી પસાર થતી ૨,૮૬૦ કિલોમીટર લાંબી ડૈન્યુબ નદીમાં પાણી જામી જતાં પરિવહન, ઊર્જા, સિંચાઈ અને માછીમારી અને ઉદ્યોગને મોટાપાયે અસર થઇ છે. ર્સિબયા, ક્રોએશિયા, બલ્ગારિયા, રોમાનિયા, હંગેરી અને ઓસ્ટ્રીયા જેવા દેશોમાં આ નદીમાં બરફનો થર જામી ગયો છે, જેથી વાહન વ્યવહારને મોટો ફટકો પડયો છે. આગામી દસ દિવસ સુધી વાહનવ્યવહાર શક્ય બને તેમ નથી. · ૧૦ દેશોમાંથી પસાર થતી ડૈન્યુબ નદીમાં બરફનો થર જામ્યો · બલ્ગેરિયામાં ૨૨૪ જહાજો બંદર ઉપર અટવાઈ પડયાં · તાપમાન માઈનસ ૨૮.૬ ડિગ્રી થયું: જનજીવન ઠપ ર્સિબયાના નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આની આર્િથક અસર મોટી હોઇ શકે છે. શુક્રવારથી બલ્ગારિયાનાં ૨૨૪ જહાજો બંદરો ઉપર અટવાઈ પડયાં છે. ક્રોએશિયામાં યુક્રેનની બચાવ ટુકડી રાહત કામગીરી માટે પહોંચી ચૂકી છે. બલ્ગારિયામાં તાપમાન શૂન્યથી પણ ૨૮.૬ ડિગ્રી નીચે પહોંચી ગયું છે. દરમિયાન બ્રિટનમાં હજુ પણ હિમવર્ષા થવાની શક્યતા દેખાઈ રહી છે. સ્કોટલેન્ડ અને વોલેસમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરાઈ છે. બ્રિટનના ક્રુબરિયામાં ૧૦૦થી વધુ અકસ્માતો થયા બાદ ગાડી નહીં ચલાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. હવામાન ખાતાએ કહ્યું છે કે યૂરોપમાં હજુ પણ વધુ તીવ્ર ઠંડી પડવા અને હિમવર્ષા થવાની આગાહી છે. ગુરુવાર બાદથી નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ ર્સિવસને ૭૦૦થી વધુ ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે. ૧૮૭ અકસ્માતોના બનાવો નોંધાયા છે. મુખ્ય માર્ગો ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ટ્રેન ર્સિવસને પણ અસર થઈ છે. યુકેના ડિરેક્ટર જનરલ માઈકલ મિશેલે કહ્યું છે કે ઓછા તાપમાનના કારણે બ્લડ પ્રેશરમાં વધારો થઈ રહ્યો છે જેથી હાર્ટ એટેક થવાનો ખતરો વધુ છે. બલ્ગારિયામાં તીવ્ર ઠંડીના કારણે વીજળીની નિકાસ અટકાવી દેવાની ફરજ પડી છે. બલ્ગારિયામાં હજુ સુધી તીવ્ર ઠંડીના કારણે ૨૮ લોકોનાં મોતો થઇ ચૂક્યાં છે. હવામાન ખાતાએ કહ્યું છે કે અહીં પ્રાગમાં પહાડી વિસ્તારમાં તાપમાન માઇનસ ૪૦ અને રાત્રિ તાપમાન માઇનસ ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. ઇટાલીમાં પણ અતિ કાતિલ ઠંડી પડી રહી છે. ત્રણ મીટર સુધીના બરફમાં ફસાયેલાં કેટલાંક ગામોમાંથી બરફને દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ………….
* યુરોપના મોટા ભાગના દેશો તીવ્ર ઠંડીના સકંજામાં
* યુરોપમાં તીવ્ર ઠંડી અને બરફ તેમજ અકસ્માતોનાં કારણે મોતનો આંકડો વધીને ૪૬૦ થયો * યુરોપના સૌથી વ્યસ્ત રહેતા ડૈન્યુબ નદી પરના જલમાર્ગને બંધ કરવાની ફરજ
* ર્સિબયા, ક્રોએશિયા, બલ્ગારિયા, રોમાનિયા, હંગેરી, ઓસ્ટ્રિયા જેવા દેશોમાં આ નદી પર બરફનો થર જામ્યો * બલ્ગારિયાનાં ૨૨૪ જહાજો બંદર પર અટવાયાં
* બલ્ગારિયામાં તાપમાન માઇનસ ૨૮.૬ ડિગ્રી
* બલ્ગારિયામાં ઠંડીથી ૨૮નાં મોત
* ચેક ગણરાજ્યમાં મોતનો આંકડો ૨૫ થયો
* પહાડી વિસ્તારોમાં તાપમાન માઇનસ ૪૦ ડિગ્રીએ પહોંચવાની આગાહી
* ચેક ગણરાજ્યમાં મૃત્યાંક વધીને ૪૩ થયો
|
હવે નવી ટેક્નિકની મદદથી કમ્પ્યૂટર હાર્ડ ડ્રાઈવની સ્પીડ સો ઘણીથી પણ વધુ કરી શકાશે. તેમાં ડેટા સ્ટોર કરવા માટે સામાન્ય હાર્ડ ડ્રાઈવ જેવી મેગ્નેટિક ફિલ્ડના બદલે ગરમીનો ઉપયોગ કરાશે. તેની મદદથી એક સેકન્ડમાં હજાર ગીગાબાઈટ ડેટા સ્ટોર કરી શકશે. યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કના સંશોધકોએ તે તૈયાર કરી છે.
સંખ્યાબંધ ટેરાબાઈટ સુધીનો ડેટા ઈન્ટર્નલ ફોર્સની મદદથી રેકોર્ડ કરી શકાય છે. ગરમીથી ડેટા સ્ટોર કરવાનું પહેલા અશક્ય હતું. પરંતુ હવે નવી ટેક્નિકની મદદથી ઓછી ઊર્જામાં વિશાળ ડેટા સ્ટોર કરી શકાશે.
ચીની સુરક્ષા દળોએ બે તિબેટી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો
તિબેટમાં પરિસ્થિતિઓને ગંભીર ગણાવતા ચીનના અધિકારીઓએ આદેશ આપ્યો છે કે તેઓ દલાઈ લામા દ્વારા ‘અલગાવવાદી તોડફોડ વિરૂદ્ધ એક યુદ્ધ’ માટે પોતાને તૈયાર કરે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે સુરક્ષા દળોએ બે તિબેટી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો છે.
તિબેટના ક્ષેત્રીય કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ ચેન કુઆનગુઓએ સત્તાવાર અખબાર ‘તિબેટ ડેઈલી’ને કહ્યું છે કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં અધિકારીઓએ આદેશ આપ્યા છે કે તેઓ સ્થિરતા જાળવી રાખવા ગંભીર સ્થિતિનો સ્વીકાર કરે અને અલગાવવાદી તોડફોડ વિરૂદ્ધ એક યુદ્ધ માટે પોતાને તૈયાર કરે. આ આદેશ 22 ફેબ્રુઆરીએ તિબેટના નવા વર્ષના ઠીક પહેલા આવ્યો છે અને આ વર્ષે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસે નવા નેતૃત્વની ચૂંટણી કરવાની છે.
અમદાવાદ, તા. ૧૦
ગુજરાતમાં સંખ્યાબંધ મહત્ત્વની ચીજ વસ્તુઓમાં વેટના દર અન્ય રાજ્યોની સરખામણીએ ઊંચા હોવાથી કરવેરાના દર ઘટાડવાની માગણી કરાઇ છે. ગુજરાત ચેમ્બર અને એસોચેમ ગુજરાત બંનેની બજેટ રજૂઆતોમાં ઇન્પુટ ટેક્સ ક્રેડિટ અને વેટના દરોના તાર્કિક બનાવવાની માગણી કરાઇ છે. ગુજરાતમાં ડિટ્રરન્ટ કેક, ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ્સ, મિનરલ વોટર, પેઇન્ટ્સ, ડિઝલ કેરોસીન, માર્બલ ગ્રેનાઇટ તથા કોટા સ્ટોન, ક્વાર્ટ્ઝ સિલિકા, લિગ્નાઇટમાં અન્ય રાજ્યોની સરખામણીએ વેટના દરો ઊંચા હોવાના કારણે સ્થાનિક વેપાર ઉદ્યોગને મોટા પાયે ફટકો પડયો છે.
ડિટર્જન્ટમાં વેચાણવેરા વખતે આઠ ટકા ટેક્સ હતો. પરંતુ વેટ આવતાની સાથે તેમાં ૧૨.૫ ટકા દર લાગુ પડયો. ઓટોમોબાઇલ્સમાં અગાઉ આઠ ટકા વેરો હતો તે પણ ૧૨.૫ ટકા થઇ ગયો. બિહાર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં વેટના દરો ઓછા હોવાથી ધંધો બીજા રાજ્યોમાં ખસેડાઇ ગયો છે. પેઇન્ટ્સમાં પણ ગુજરાતમાં વેટનું ભારણ ૧૫ ટકા છે. આથી વપરાશકારો બે ટકા સીએસટી ઉપર બીજા રાજ્યોમાંથી માલ મગાવે છે. ગુજરાતના પડોશી રાજ્યોમાં પેઇન્ટ પર ચાર ટકા જ વેટ છે. ડીઝલમાં પણ ગુજરાતમાં લિટરે રૂ . ૧.૭૦નો તફાવત છે. માર્બલ, ગ્રેનાઇટ અને કોટા સ્ટોનમાં રાજસ્થાન સરકારે ફેબ્રુઆરી -૦૮ના રોજ સુધારો બહાર પાડી વેટના દર ૧૨.૫માંથી ચાર ટકા કરી દેતા અહીંના વેપારીઓ મુશ્કેલીમાં છે. પંચમહાલ જિલ્લામાં ક્વાર્ટ્ઝ સિલિકાના ઘણાં એકમો આવેલા છે. તે ગ્લાસ, સિલિકેટ, સિરામિક, ફાઉન્ડ્રીઝ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. આ આઇટમ પર ૧૨.૫ ટકા વેટ લેવાય છે. પડોશી રાજ્યોમાં આના પર ચાર ટકા વેટ છે. લિગ્નાઇટમાં પણ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ઊંચો વેટ છે.
ઓટોમોબાઇલ સ્પેરપાટ્ર્સ હેન્ડ મેડ ફૂટવેર |
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે. આ તબક્કામાં નવ જિલ્લાની ૫૯ બેઠકોનું ભાવિ મશીનમાં સીલ થશે. આ માટે ૧૦૯૮ ઉમદેવારો મેદાનમાં છે. સૌથી વધુ સંવેદનશીલ મનાતા આઝમગઢ અને તેની આસપાસના વિસ્તારો જેવા કે મઉ, ગાઝીપુર તથા ગોરખપુર જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષરીતે યોજાય તે માટે બિહાર તથા પાડોશી દેશની નેપાળની સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે.
સુરક્ષા માટે સીઆરપીએફની ૭૦૦ કંપની અને પીએસીની ૧૦૦ કંપનીઓ સાથે એક લાખ પોલીસ જવાનો તથા હોમગાર્ડને પણ મેદાનમાં ઉતારાયું છે.
ભાસ્કર શ્રેણી : ભાગ-૧ – નેતૃત્વનું નૈતિક પતનકણૉટકના ‘ટ્રિપલ એક્સ મિનસ્ટિર’ની તપાસ કરવા માટે સ્પીકરે બુધવારે સમિતિ બનાવી દીધી છે. તેની સાથે જ ફાઇલોનો સિલસિલો શરૂ થશે. નેતાઓના અપરાધીઓ સાથેના સંબંધો ઉઘાડા પાડવા માટે કેન્દ્ર અને રાજ્યોની ઘણી સમિતિઓમાં એવું જ થાય છે. સત્તાવાર અહેવાલોમાં દર વખતે એવું પુરવાર થયું છે કે, સાઠગાંઠ ચાલુ છે અને તેને ખતમ કરવું જોઇએ, પરંતુ કશું જ થયું નથી. નૈતિક પતનના કિસ્સા જાહેર કરતી શ્રેણીની પ્રથમ કડી-
સરકારી રીતે નેતા, અધિકારીઓ, મૂડીવાદીઓ, અપરાધીઓની સાઠગાંઠની પુષ્ટિ થઇ
‘આવી સાઠગાંઠ દેશમાં સમાંતર સરકારો ચલાવી રહી છે. બિહાર, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં તો વિદેશી એજન્સીઓ સાથે સંબંધ ધરાવતા અપરાધીઓની ટોળકીના નેતાઓને સંરક્ષણ મળેલું છે.’ એવું વોહરા સમિતિએ કહ્યું હતું. આ સમિતિની ૧૯૯૩માં નરસિંહરાવ સરકાર દ્વારા નેતા, અધિકારી, ધનિકો અને અપરાધીઓની સાઠગાંઠની તપાસ કરવા માટે રચના કરવામાં આવી હતી. સમિતિના રિપોર્ટ પર કશું જ થયું નથી. આ પ્રકારના ઘણા રિપોર્ટ મંત્રાલયોમાં ધૂળમાં પડેલા છે.
કણૉટકના માજી લોકાયુકત જસ્ટિસ સંતોષ હેગડે સ્પષ્ટ રીતે કહે છે કે, માત્ર બેલ્લારીમાં ૬૦૦થી વધુ અધિકારીઓએ માફિયા અને નેતાઓ સાથે સાઠગાંઠ કરીને કાયદાઓને મનમાની રીતે વિકૃત બનાવી દીધા છે.
ગોસ્વામી સમિતિની વાત કરીએ. ૧૯૯૦માં જનમોરચા સરકારે આ સમિતિની રચના કરી હતી. છ મહિનામાં સોંપેલા પોતાના રિપોર્ટમાં સમિતિએ રાજકીય પક્ષોની ફંડની ઉઘરાણી બંધ કરવાની વાત કહી છે. રિપોર્ટનો અમલ થાય તે પહેલાં જ સરકાર જતી રહી. ૧૯૯૮માં બનેલી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિની પણ આ જ હાલત થઇ હતી. ગુપ્તા સમિતિએ સરકારી ખર્ચે ચૂંટણીની શક્યતાઓ ઊંડાણપૂર્વક ચકાસી હતી, પરંતુ ભલામણ પર સરકારે અમલ કરવાની હિંમત પણ બતાવી ન હતી. આ સાઠગાંઠને ૧૯૯૯માં કાયદા પંચે નેતાઓના નૈતિક પતન માટે જવાબદાર ઠરાવી ચૂક્યું છે.
આરોપોના કિસ્સા બની કલંકની અસંખ્ય વાર્તા ટિપ્પણી@કમલેશ સિંહ
માથું હલાવવા માટે, હાથ મસળવા માટે
દેશભરમાં બદનામ અને લોકશાહીના લેટેસ્ટ કલંક સમાન લક્ષ્મણ સાવડી જણાવે છે કે તેમના પર લાગેલા આરોપો નિરાધાર છે. તેમની વાત નિરાધાર નથી. જે દિવસે લોકશાહીની મર્યાદા ફરી એક વખત કણૉટકમાં ચિંથરા ઉડી ગયા, તે દિવસે વિધાનસભામાં લક્ષ્મણ સાવડી નહોતા બેઠા. વાસ્તવમાં કોઓપરેશન મંત્રી હોવા છતાં પણ લક્ષ્મણ સાવડી વિધાનસભાની અંદર ક્યારેય નથી બેઠા.
એ તો અથાની વિધાનસભા ક્ષેત્રના ૧૬૮૬૦૮ મતદારો બેંગલોરની વિધાન સ્મૃતિમાં નથી બેસી શકતા એટલે તેમનો એક પ્રતિનિધિ બેસે છે. લક્ષ્મણ સાવડી એક વચન નહીં, બહુવચન છે. આરોપ સમગ્ર અથાની પર છે, સાવડી તદ્દન ચારિત્રહીન છે. જો સુરેશ કલમાડી અને એ.રાજા કાનૂનના પંજામાં આવીને જેલમાં જઈ શકે છે તો પછી કઠેડામાં તે એ લોકો પણ આવી જાય છે જેમણે તેમની બેઈમાની પર ઈનામ રાખ્યું હોય છે.
કેટલાક સમયથી આપણે આપણી જ આંખોથી જોતા આવ્યા છીએ કે કેવી રીતે આ જોડતોડ એ જ લોકશાહીનાં મૂળિયા ખાય છે, જે લોકશાહીનું આ દેશના એક અબજ વીસ કરોડ લોકો તેમના પરસેવાથી સિંચન કરે છે. જેમના ડરથી આપણા મહોલ્લામાં પણ અસુરક્ષા અનુભવાય છે તેમને આપણે રાજધાનીમાં મોકલી દીધા છે.
રોજબરોજની જરૂરિયાતની ચીજો આપણી પહોંચથી દૂર થતી જાય છે કારણ કે તેની નીતિઓ તેમના ગેરકાયદે હિસ્સાના ત્રાજવામાં તોલાયેલી હોય છે. દબંગોનું અશ્લીલ સ્ટેટસ જોઈને મોટા થઈ રહેલાં બાળકો પણ દબંગ બનવા માગે છે અને પેઢીઓ હવે સત્ય પર સવાલ કરતી સીડીઓ ઉતરતી જાય છે.
આદર્શની પરિભાષા બગડી ગઈ છે, સમાજનું વ્યાકરણ જ અપરાધ અને ભ્રષ્ટાચારની સંધિ-સમાસમાં ગુમ થઈ ગયું છે. કારણ કે આપણે અપરાધ અને ભ્રષ્ટાચાર, નૈતિક અને ચારિત્રિક પતનની જવાબદારી નથી લેતા. આ વિચારધારાએ આપણને એવા મુકામ પર લાવી દીધા છે, જ્યાં આપણે આજે છીએ. શરમજનક સ્થિતિમાં, ઘૃણાથી ભરેલા, ગુસ્સાથી છલકાતા અને હાથ મસળતા રહીએ છીએ. અહીં એક શાયરી રજૂ કરવાનું મન થાય છે… અપને ખિલાફ ફૈસલા ખુદ હી લીખા હૈ આપને, અબ હાથ મલ રહે હૈ આપ, આપ બહુત અજીબ હૈ.
લોકશાહી પર ખૂબ જ નિરાશા વ્યક્ત કરતા અલ્લામા ઈકબાલે જણાવ્યું હતું કે લોકશાહી સત્તાનું એ સ્વરૂપ છે જેમાં લોકોને ગણવામાં આવે છે, તોલાતા નથી. ભાગલા વખતે અલ્લામાએ પાકિસ્તાન પસંદ કર્યું હતું પરંતુ બંને નવા દેશોએ તેમનું ન સાંભળ્યું અને સાચો વિકલ્પ પસંદ કર્યો. સમય ત્યાં સુધીમાં અનેક સંચાલનોને અજમાવી ચૂકયો હતો, પરંતુ લોકશાહીથી બહેતર કોઈ સંચાલન નથી. આજે અલ્લામા કબરમાં એવી મુદ્રામાં હસી રહ્યા હશે કે મનમાં વિચારતા હશે કે અમે કહ્યું હતું ને?
જે પાકિસ્તાન માટે કેટલાક લોકોએ કુરબાની આપી દીધી છે અને ચીન તેમજ આરબમાં લોકો પોતાના પ્રાણોની આહુતિ આપી રહ્યા છે તેની શું દુર્દશા કરી છે. ઈકબાલે કહ્યા પ્રમાણે આપણે ‘હમ બુલબુલે હૈ ઈસકી, યે ગુલિસ્તાં હમારા’ પરંતુ આ શબ્દો પણ તેમના છે અને દરેક હર શાખ પર ઉલ્લુ બેઠે હૈ જેવી સ્થિતિ છે…. આથી હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે લોકશાહીની દેવીને જે મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે તેના મઠાધપિતિઓ અશ્લીલ ક્લિપિંગ જુએ છે, કોઈ નોટો ઉછાળે છે, કોઈ જુતાં-ચંપલ, કોઈ ધારાસભ્યની કોપીઓ ફાડી નાખે છે તો કોઈ આપણા ભરોસાને તોડે છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉઠેલા જનઆક્રોશ પછી ભારતને એ અહેસાસ થઈ ગયો છે કે આપણે ઘણી ભૂલો કરી છે. પરંતુ એ ભૂલોમાંથી શું શીખ્યા? હજુ પાંચ રાજ્યોમાં ચૂંટણી બાકી છે, જનતા જાગી ગઈ છે, પરંતુ તેનો ડર યથાવત છે. હજુ પણ કેટલાક લક્ષ્મણ સાવડી ચૂંટાઈ આવશે.
આપણે ફરી પસ્તાવો કરીશું અને તેમના પર અફસોસ વ્યક્ત કરીશું. તેમના ઝડપાઈ જવાથી તેમની ખુરશી જશે અને આપણી ઈજજત જશે, પરંતુ એ વાતથી ઈનકાર કરતા રહીશું કે આપણે એ છીએ જે પેલી ક્લિપિંગમાં લૂંટાઈ રહી છે અને જેને જોઈને સાવડીની લાળ ટપકતી હતી. લૂંટારા લક્ષ્મણ સાવડી પ લાગેલા આરોપો નિરાધાર છે, આપણે ગુનેગાર છીએ. લક્ષ્મણ સાવડી તો એક તદ્દન ખરાબ ચારિત્રહીન છે.
કોણ ચર્ચિત રહ્યા
એનડી તિવારી : આંધ્રપ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે ૨૦૦૯માં રાજભવનમાં મહિલાઓ સાથે સેક્સ માણતા ઝડપાયા હતા.
અમરમણિ ત્રિપાઠી : ઉત્તરપ્રદેશના માજી પ્રધાન. ૨૦૦૩માં કવિયત્રી મધુમિતા શુક્લા સાથે આડા સંબંધો અને હત્યાના આરોપ.
હરકસિંહ રાવત : ઉત્તરાખંડના માજી મહેસૂલપ્રધાન. ૨૦૦૩માં છોકરી પર બળાત્કાર ગુજારવાનો આરોપ મુકાયો હતો.
મનમોહન સામલ : ઓડિશાના મહેસૂલપ્રધાન. ૨૦૦૮માં મહિલા સાથે આડા સંબંધો રાખવાનો આરોપ. રાજીનામું આપ્યું.
હલપ્પા : કણૉટકના પ્રધાન. ૨૦૧૦માં મિત્રની પત્નીની સતામણીનો આરોપ.
સુરેશ રામ : જગજીવનરામના પુત્ર. ૧૯૭૮માં એક મેગેઝિનમાં સુરેશ અને વિદ્યાર્થિનીના વાંધાજનક ફોટા છપાયા હતા.
કોણે ચોંકાવ્યા
તંદૂરકાંડ : ૨ જુલાઇ, ૧૯૯૫માં કોંગ્રેસી નેતા સુશીલ શર્માએ પત્ની નૈના સાહનીની હત્યા કરી શબના ટુકડા કરીને તંદૂરમાં બાળી નાખ્યા હતા.
નકલી એન્કાઉન્ટર : ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર સોહરાબુદ્દીનને નકલી એન્કાઉન્ટરમાં મરાવી નાંખવાનો આરોપ છે. પોલીસ કર્મચારીઓ અને રાજનેતાઓની સાઠગાંઠનો પણ પર્દાફાશ થયો.
બેલ્લારી કાંડ : બેલ્લારી(કણૉટક)ના ખાણ માફિયા જનાર્દન રેડ્ડી અને તેમના ભાઇઓ પર અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને રાજ્યમાં સમાંતર સરકાર ચલાવવાનો આરોપી છે.
કણૉટક વિધાનસભા પરિસરમાં તન અને મનની શુદ્ધિ માટે સરકાર દરરોજ યોગ કરતી હોય છે. તસવીર મંગળવારની છે. એટલે કે જે દિવસે કૌભાંડ બહાર આવ્યું તે દિવસે યોગમાં મુખ્યમંત્રી સહિત ત્રણેય આખી કેબિનેટ હાજર હતી. જોકે, આરોપી ત્રણ મંત્રી ગાયબ હતા.
થોડાક મહિનાઓ પછી જ જુના રૂઆબમાં દેખાયા નેતા અને અધિકારી
ભાજપના સંજય જોશી
આરોપ : ૨૦૦૫માં એક સીડી બહાર પડી જેમાં એક મહિલાની સાથે કઢંગી હાલતમાં દેખાયા.
રાજકીય હોદ્દો : ત્યારે તેઓ રાષ્ટ્રીય મહામંત્રી હતા અને મધ્યપ્રદેશના પ્રભારી હતા.
કાર્યવાહી : હોદ્દા પરથી દૂર કરાયા, થોડાક દિવસ ભાજપથી બહાર રહ્યા
આજે ક્યાં : ઉત્તરપ્રદેશ ચૂંટણી પ્રભારી
ભાજપના સત્યાનંદ ઝા
આરોપ : ૨૦૧૧માં મહિલા સાથે અનૈતિક સંબંધો બાદ છાનામાના લગ્ન
હોદ્દો : ઝારખંડ સરકારમાં મંત્રી
કાર્યવાહી : કોઈ જ કેસ ન થયો, મહિલાએ કહ્યું સત્યાનંદ ધમકી આપી હતી કે કેસ કર્યો તો ફાંસીએ લટકાવી દઇશ.
આજે ક્યાં : સરકારમાં કૃષિમંત્રી
અકાલી દળના ગગનજીત
આરોપ : નોકરાણી પર બળાત્કાર
હોદ્દો : પંજાબની ધૂરી બેઠકના ધારાસભ્ય, પૂર્વ સીએમ અને તમિળનાડુના રાજ્યપાલ સુરજીત બરનાલાના પુત્ર
કાર્યવાહી : કેસ ચાલ્યો, જેલમાં ગયા, પણ ૨૦૦૯માં આરોપ મુકત થઈ ગયા
આજે ક્યાં : પંજાબમાં ઉમેદવાર
મધ્યપ્રદેશના આઇએએસ અધિકારી
જ્ઞાનેશ્વર પાટિલ ઓફિસમાં સમલિંગી સંબંધ બાંધતા કેમેરામાં પકડાઈ ગયા હતા.
આરોપ : પંચાયત સચિવ સતીશ ચૌધરીની સાથે ૧૮ જુન, ૨૦૦૯માં ઓફિસના બાથરૂમમાં કઢંગી હાલતમાં પકડાયા
કાર્યવાહી : પાટિલને બરતરફ કરાયા, તપાસ પણ થઈ
આજે ક્યાં : શ્યોપુરમાં કલેક્ટર છે.
ઝારખંડના આઇજી, ડીઆઇજી
હયાત અને નટરાજન પર આદિવાસી મહિલા પર બળાત્કારનો આરોપ
આરોપ : હયાત પર ૨૦૦૪માં મહિલા પર બળાત્કારનો આરોપ. તપાસ આઇજી નટરાજનને સોંપાઈ, મહિલાએ ૨૦૦૫માં નટરાજન પર પણ આરોપ મૂક્યો.
કાર્યવાહી : હયાતની તપાસ,
નટરાજન સસ્પેન્ડ
આજે ક્યાં : હયાત પ્રતિનિયુક્તિ પર દિલ્હી
અમૃતસરના પૂર્વ મેયર
સુભાષ શર્મા હોટેલમાં રંગેહાથ પકડાયા, સસ્પેન્ડ થયા, પાર્ટીમાં પાછા ફર્યા, હોદ્દો પણ મળ્યો
આરોપ : ૨૦૦૦માં એક હોટેલમાં યુવતી સાથે કઢંગીજનક સ્થિતિમાં પકડાયા
કાર્યવાહી : ભાજપે હોદ્દા પરથી દૂર કર્યા, સસ્પેન્ડ પણ કર્યા
આજે ક્યાં : ૨૦૧૨માં તમામ ગુનાઓને માફ કરી જિલ્લા ઉપાધ્યક્ષ બનાવ્યા
ચર્ચાઓમાં આ લોકો પણ છે
કોંગ્રેસની રાજસ્થાન સરકારના મંત્રી મહિપાલ મદેરણા અને ધારાસભ્ય બશિ્નોઇ ભંવરીદેવી સાથે અનૈતિક સંબંધો બાંધવાના અને તેની હત્યાના આરોપમાં જેલમાં છે.
ભાજપના નેતા ભૈયા રાજા, ધારાસભ્ય આશારાની પર નોકરાણી તિજ્જીબાઇનું અપહરણ અને અનૈતિક સંબંધોનો આરોપ. પન્નાના ધારાસભ્ય ભૈયા રાજા બે વર્ષથી જેલમાં બંધ છે. મંદસૌરના ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ કારુલાલ સોની કઢંગી હાલતમાં કેમેરામાં કેદ.
મંદસોરના ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ કારુલાલ સોની વાંધાજનક સ્થિતિમાં કેમેરામાં કેદ હાલમાં સસ્પેન્ડ
પંજાબ ગુપ્તચર એજન્સીએ વર્ષ ૨૦૦૬માં એક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં ૩૫ મોટા નેતાઓનું નામ હતું. જેઓ તસ્કરી અને અન્ય ધંધામાં સંડોવાયેલા દર્શાવ્યા છે. તેમાં કેટલાક ધારાસભ્યોનાં નામ પણ છે.
નવી દિલ્હી, તા. ૧૦
ઇન્ટરનેટ જાયન્ટ ‘ગૂગલ’ દ્વારા તેની વિદેશી કંપનીઓમાં ભંડોળનાં ટ્રાન્સફરમાં કથિત ગેરરીતિઓ બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) ‘ગૂગલ’ને વિદેશી હૂંડિયામણ ઉલ્લંઘનની નોટિસ પાઠવી છે.
ઈડીએ ગૂગલની ભારતીય પાંખ પાસેથી આ સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પાસેથી મેળવવામાં આવેલી તમામ પરવાનગીઓ અને ભારતમાં કંપનીના આવકના સ્રોત તથા પાછલા આઈ-ટી રિટર્ન્સ સહિતની વિગતો માગી છે.
· EDએ ભારતમાં કંપનીના આવકના સ્રોત, પાછલા આઈ-ટી રિટર્ન્સની વિગતો પણ માગી
ઈડીની નોટિસ અંગે ગૂગલ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે જે દેશમાં ઓપરેટ કરીએ છીએ તે દેશના નીતિ-નિયમોનું પાલન કરીએ છીએ. અમારા શેરધારકો માટે અમે ટેક્સ સંદર્ભે આખું માળખું તૈયાર કરેલું છે. દેશમાં અંદાજે ૨,૦૦૦ લોકોને અમે રોજગારી આપીએ છીએ, આ ઉપરાંત સ્થાનિક અને રાષ્ટ્રીય ક્ષેત્રે ટેક્સમાં પણ સંતોષકારક ફાળો આપીએ જ છીએ.
સૂત્રોનાં જણાવ્યા મુજબ, ગૂગલ દ્વારા વિદેશમાં ભંડોળનાં ટ્રાન્સફર અંગેની આરબીઆઇની માર્ગર્દિશકાઓનો ભંગ કરવાની બાબતની ઈડી તપાસ કરી રહ્યું છે, જેમાં આયર્લેન્ડ સહિતના દેશોમાં ગૂગલે કરેલાં ભંડોળનાં ટ્રાન્સફરનો મુદ્દો અગ્રતાક્રમે છે, આ ઉપરાંત કંપનીએ વિદેશમાંથી મેળવેલ રોકાણની પણ ઈડી તપાસ કરી રહ્યું છે.
નોંધનીય છે કે અન્ય સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સની જેમ ગૂગલ ઇન્ડિયાએ પણ સાઇટ પરની અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી હટાવવાના આદેશનું પાલન કરવામાં અસમર્થતા દાખવતાં વિવાદ થયો હતો અને કેન્દ્રીય ટેલિકોમપ્રધાન કપિલ સિબ્બલે સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સને તેમના કન્ટેન્ટનું સ્ક્રીનિંગ કરવા જણાવ્યું હતું. ગૂગલ ઇન્ડિયાએ આ સંદર્ભમાં તાજેતરમાં દિલ્હીની કોર્ટમાં પૂર્તતા અહેવાલ દાખલ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં બે દિવસથી પડી રહેલી કાંતીલ ઠંડીનું શુક્રવારે જોર ઘટ્યું હતું. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાઇનસ બે ડીગ્રી નોંધાયું છે. જ્યારે વિસનગરમાં ઠંડીથી ઠુંઠવાઇ જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલોલમાં ભિક્ષુક મહિલાનું મોત નિપજ્યું છે. આજે સમગ્ર કચ્છ સહિત રાજ્યમાં રાહત અનુભવાઇ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી, ભુજમાં ૮.પ ડિગ્રી તેમજ કંડલામાં ૧૧.૬ ડિગ્રી નોંધાયું હતું.
તો ભુજમાં પવનની ઝડપ ૧૦ કિમી, નલિયામાં ૬ કિમી તો કંડલામાં ૪ કિમી રહી હતી . ઉત્તર ગુજરાતમાં બે દિવસથી પડી રહેલી કાંતીલ ઠંડીનું શુક્રવારે જોર ઘટયું હતું. જ્યાં મહેસાણાનું લઘુત્તમ તાપમાન પ.૬ અને ડીસાનું લઘુત્તમ તાપમાન પ.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઇડરનું લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાતાં લોકોને ઠંડીએથી રાહત મળી હતી.
વડોદરામાં ૭ ડિગ્રી, આણંદમાં ૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હાલોલમાં આધેડ મહિલા ભિક્ષા માંગી જીવન વિતાવતી હતી. હાલોલ પોલીસ સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. પરંતુ હાડ થીજાવતી ઠંડી સામે લડત આપવામાં નિષ્ફળ જતા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આમ કુલ બે જણાનાં મોત નિપજયા છે.